Adani Group
Adani Group: ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ તમામ રોકાણ આગામી 5 વર્ષમાં દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં કરવામાં આવશે. ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટમાં અદાણી પોર્ટ્સ અને સેઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “અમે 20,000 કરોડ રૂપિયાના વધારાના રોકાણ માટે પ્રતિબદ્ધ છીએ.” તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપ પહેલાથી જ કેરળમાં વિઝિંજમ પોર્ટ વિકસાવી રહ્યું છે.
આ સાથે, તે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એરપોર્ટનું સંચાલન કરી રહ્યું છે. અદાણી ગ્રુપ રાજ્યમાં તેની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર કરશે અને સાથે જ લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ સેન્ટર પણ વિકસાવશે.
ગૌતમ અદાણીનું જૂથ વિઝિંજામ બંદર વિકસાવી રહ્યું છે અને તેણે પહેલાથી જ 5,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ગ્રુપ 5,500 કરોડ રૂપિયાનું રોકાણ કરીને તિરુવનંતપુરમ એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 45 લાખ મુસાફરોથી વધારીને 1.2 કરોડ મુસાફરો કરશે. તેમણે કહ્યું કે કોચીમાં એક લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત, કોચીમાં સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવશે. એકંદરે, જૂથ આગામી પાંચ વર્ષમાં અહીં રૂ. ૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે.