Loksabha Elections in Punjab : ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાલી દળના ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં પંજાબમાં ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. ઉપરોક્ત જાહેરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનિલ જાખરે સોશિયલ મીડિયા દ્વારા કરી છે.
વીડિયો શેર કરતા જાખરે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે. પાર્ટીએ લોકો, કાર્યકરો અને નેતાઓ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લીધો છે. પંજાબના યુવાનો, વેપારીઓ, મજૂરો વગેરેના ભવિષ્ય માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે પંજાબ માટે જે કામ કર્યું છે તે કોઈએ કર્યું નથી.