આઈઆઈટીટેકનિકલ શિક્ષણની દ્રષ્ટિએ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. હવે તેનું કેમ્પસ દેશની બહાર પણ ખુલવાનું છે. દેશની બહાર પ્રથમ આઈઆઈટી કેમ્પસ આફ્રિકન દેશ તાંઝાનિયા, ઝંઝીબારમાં ખોલવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં, શિક્ષણ મંત્રાલય (એમઓઈ), આઈઆઈટીમદ્રાસ અને તાંઝાનિયા-ઝંઝીબાર શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ મંત્રાલય વચ્ચે ૫ જુલાઈના રોજ એક એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઝંઝીબારના પ્રમુખ ડૉ. હુસૈન અલી મ્વિન્ની અને ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિલીઝ પ્રમાણે તાંઝાનિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને માન્યતા આપતા શૈક્ષણિક ભાગીદારીને ઔપચારિક રુપ આપવામાં આવ્યુ છે. આ ભાગીદારી હેઠળ, આઈઆઈટીમદ્રાસ ઝંઝીબારમાં આઈઆઈટીકેમ્પસ ખોલશે અને ઓક્ટોબર ૨૦૨૩થી ત્યાં કાર્યક્રમ શરૂ કરવાની યોજના છે.

આઈઆઈટીમદ્રાસ વિદ્યાર્થીઓની પસંદગી, શૈક્ષણિક કાર્યક્રમ, અભ્યાસક્રમ અને શૈક્ષણિક વિગતોનું કામ સંભાળશે, જ્યારે તેને ચલાવવાનો સમગ્ર ખર્ચ ઝંઝીબાર-તંઝાનિયા સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. અહીં ભણનારા વિદ્યાર્થીઓને આઈઆઈટીમદ્રાસની ડિગ્રી મળશે. આફ્રિકા સહિતના અન્ય દેશોની સાથે ભારતીય વિદ્યાર્થીઓને પણ અહીં અભ્યાસ માટે અરજી કરવાની તક મળશે.એનઈપી ૨૦૨૦ હેઠળ વિદેશમાં કેમ્પસ ખોલવા માટે પ્રમોશન આપવામાં આવી રહ્યું છે.

નવી શિક્ષણ નીતિ હેઠળ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વિદેશમાં કેમ્પસ ખોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦નું ફોકસ આંતરરાષ્ટ્રીય પર છે અને સાથે સાથે ભલામણ પણ કરે છે કે, દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને અન્ય દેશોમાં કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
આઈઆઈટીમદ્રાસ આફ્રિકા ખંડમાં તેનું કેમ્પસ ખોલી રહ્યું છે. તેનાથી વિશ્વભરમાં દેશની પ્રતિષ્ઠા અને રાજદ્વારી સંબંધોમાં વધારો થશે. આ ઉપરાંત તે આઈઆઈટીમદ્રાસના શિક્ષણ અને સંશોધનની ગુણવત્તાને પણ મજબૂત કરશે.

Share.

Leave A Reply

Exit mobile version