ઈઝરાયેલ-હમાસ યુદ્ધના બીજા દિવસે રવિવારે (૮ ઓક્ટોબર) ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સએ કહ્યું કે ઈઝરાયેલ પર હમાસનો હુમલો ૯/૧૧ જેવો છે, પરંતુ તેનાથી પણ મોટો છે. ઓછામાં ઓછા ૨૨ મોરચે હમાસના લડવૈયાઓ સામે લડી રહેલી ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે છેલ્લા ૨૪ કલાક ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે શનિવારે (૭ ઓક્ટોબર)ના રોજ હમાસના હુમલા બાદ અભૂતપૂર્વ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. રિચાર્ડ હેચટે કહ્યું કે આ ઇઝરાયેલ પર ૯/૧૧નો હુમલો છે અથવા તો તેનાથી પણ મોટો હુમલો છે. પ્રવક્તાએ કહ્યું, “એક રીતે, આ અમારા માટે ૯/૧૧ અને તેથી વધુ છે.

આ કોઈ બિલ્ડિંગને અથડાવાની ઘટના નથી, પરંતુ ગાઝા પટ્ટીના વિનાશની, બાળકોની, તેમના દાદા-દાદીની પણ ક્રૂર હત્યા છે. આ હૃદયદ્રાવક અને અભૂતપૂર્વ ઘટના. તેણે હમાસને પરિણામ ભોગવવાની ચેતવણી આપી અને કહ્યું, અમે આનો ખૂબ જ ગંભીરતાથી જવાબ આપવા જઈ રહ્યા છીએ. આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. જે રીતે બાળકો પર ક્રૂરતા થાય છે તે ઈસ્લામ વિરુદ્ધ છે. લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહને ચેતવણી આપતા રિચર્ડે કહ્યું, મને આશા છે કે હિઝબુલ્લાહ અને ઈરાન આમાં સામેલ થવાની ભૂલ નહીં કરે. કારણ કે અમે અમારી પૂરી તાકાત સાથે તૈયાર છીએ. હમાસના લડવૈયાઓના ભયાનક અમાનવીય કૃત્યોનો ઉલ્લેખ કરતા રિચર્ડે કહ્યું કે, અમે વર્ષોથી હમાસ વિશે વાત કરી રહ્યા છીએ કે તેઓ કોણ છે અને તેઓ શું ઈચ્છે છે. તેમનો ઉદ્દેશ્ય આપણા દેશનો વિનાશ છે. ગઈકાલે બધાને ખબર પડી કે તેઓ કોણ છે. તેઓએ જમીન, હવા અને સમુદ્ર દ્વારા અમારા પર હુમલો કર્યો. તેઓ સૈન્ય લક્ષ્યો પર હુમલો કરવા ગયા ન હતા પરંતુ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. બાળકો, શિશુઓ, દાદીમા… કોઈને છોડવામાં આવ્યાં ન હતાં.

હુમલાના ર્નિદયતાના દ્રશ્યો હ્રદયસ્પર્શી છે. તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલ હમાસ સાથે ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે, આ સાથે જ રવિવારે લેબનોનના હિઝબુલ્લાએ સરહદ પરના વિવાદિત વિસ્તારમાં ઈઝરાયેલની ત્રણ જગ્યાઓ પર ડઝનબંધ રોકેટ છોડ્યા હતા. ઇઝરાયેલી સેનાએ સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કરીને જવાબી કાર્યવાહી કરી હતી. ઈઝરાયેલ પર હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ૧૦૦૦ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. હમાસના આતંકવાદીઓએ શનિવારે સવારે ઈઝરાયેલના વિવિધ વિસ્તારોમાં ૫૦૦૦થી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના આ હુમલા બાદ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જારી કરીને કહ્યું કે હમાસને આની ભારે કિંમત ચૂકવવી પડશે. ભારત સહિત ઘણા દેશોએ આ મુશ્કેલ સમયમાં ઈઝરાયલ સાથે ઉભા રહેવાની વાત કરી છે. જાે કે, બગડતી પરિસ્થિતિ વચ્ચે, દિલ્હીથી તેલ અવીવની ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે. તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ ૧૪ ઓક્ટોબર સુધી રદ રહેશે.

Share.

Leave A Reply

Exit mobile version