NEET Paper Leak Case: NEET કેસમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટી કાર્યવાહી!
NEET પેપર લીકના આક્ષેપો વચ્ચે, શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી. આ સમિતિ પરીક્ષા પ્રક્રિયાઓને સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ અને NTAના માળખામાં સુધારો કરવા પર કામ કરશે. આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સોંપશે. આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન ચાર્જ સંભાળશે. AIIMSના જાણીતા ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા પણ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ અને સભ્યોની યાદીમાં સામેલ છે.