SBI

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટેના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. 15 એપ્રિલ 2025થી અમલમાં આવનારા નવા દરો અનુસાર, ખાસ કરીને 1 થી 3 વર્ષની મુદત ધરાવતી થાપણો પર 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આ સાથે બેંકે ફરીથી તેની લોકપ્રિય ‘અમૃત વૃષ્ટિ’ FD યોજના પણ રજૂ કરી છે, જોકે હવે તેમાં પણ ઓછું વ્યાજ મળશે.

અપડેટ થયેલા વ્યાજ દરો:

  • 1 થી 2 વર્ષની FD – સામાન્ય ગ્રાહકો માટે 6.80% થી ઘટાડીને 6.70%, વરિષ્ઠ નાગરિકો માટે 7.30% થી ઘટાડીને 7.20%

  • 2 થી 3 વર્ષની FD – સામાન્ય માટે 7.00% થી 6.90%, વરિષ્ઠ નાગરિકો માટે 7.50% થી 7.40%

અમૃત વૃષ્ટિ FD યોજના (444 દિવસ):

  • સામાન્ય નાગરિકો માટે 7.05%

  • વરિષ્ઠ નાગરિકો માટે 7.55%

  • સુપર સિનિયર નાગરિકો માટે 7.65%
    (અગાઉ ક્રમશઃ 7.25%, 7.75% અને 7.85% હતો)

SBIના નવા FD વ્યાજ દર (15 એપ્રિલ 2025થી):

મુદત સામાન્ય ગ્રાહકો વરિષ્ઠ નાગરિકો
7 દિવસથી 45 દિવસ 3.50% 4.00%
46 દિવસથી 179 દિવસ 5.50% 6.00%
180 દિવસથી 210 દિવસ 6.25% 6.75%
211 દિવસથી 1 વર્ષ કરતાં ઓછું 6.50% 7.00%
1 વર્ષથી 2 વર્ષ કરતાં ઓછું 6.70% 7.20%
2 વર્ષથી 3 વર્ષ કરતાં ઓછું 6.90% 7.40%
3 વર્ષથી 5 વર્ષ કરતાં ઓછું 6.75% 7.25%
5 વર્ષથી 10 વર્ષ સુધી 6.50% 7.50%*

 

Share.
Exit mobile version