કેનેડામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે રાત્રે બની છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે ૧૦.૨૦ વાગ્યે ગોળીબારની ઘટના ની જાણ થઈ હતી, પોલીસને ઘટના અંગે જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમને પહેલા ૪૧ વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ ૬ વર્ષના અને ૧૨ વર્ષના બાળકોના મૃતદેહ પણ મળ્યા હતા. આ સિવાય પોલીસને ૪૫ વર્ષિય વ્યક્તિ પણ ગોળીબારમાં ઘાયલ થયેલો જાેવા મળ્યો હતો. આ ઘટના કેનેડાના ઉત્તરી ઓન્ટોરિયો શહેરમાં ફાયરિંગની ઘટના બની હતી.

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં ૬ વર્ષના અને ૧૨ વર્ષના બાળકોના મોત પણ થયા છે. આ ઉપરાંત અધિકારી એ જણાવ્યું હતું કે તેમને ૪૪ વર્ષિય વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાની જાતને જ ગોળી મારી હતી. હાલ પોલીસની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે આ ગોળીબારનું કારણ આંતરિક ઝગડો હોઈ શકે છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે બિનજરુરી રીતે જીવ ગુમાવી રહ્યાની ઘટનાઓ બની રહી છે. પોલીસ અધિકારી હ્યુ સ્ટીવનસને જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે પીડિત પરિવાર, મિત્રો તેમજ પ્રિયજનો જે દુઃખનો અમે અનુભવ કરી રહ્યા છીએ અને અમારી સહાનુભૂતી તેમની સાથે છે.

Share.

Leave A Reply

Exit mobile version