કેનેડાની સરકારે ભારતની ટ્રાવેલ એડવાઈઝરીને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓ વચ્ચે કેનેડાની યાત્રા કરવાની યોજના બનાવી રહેલા ભારતીયોને ‘અત્યંત સાવધાની’ રાખવા કહ્યું હતું.રોઇટર્સના અહેવાલ મુજબ, નવી દિલ્હીની ચેતવણીને નકારી કાઢતા કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કે કહ્યું કે કેનેડા એક સુરક્ષિત દેશ છે. ભારતની ટ્રાવેલ એડવાઇઝરી નવી દિલ્હી અને કેનેડા વચ્ચેના બગડતા સંબંધો દર્શાવે છે. નોંધનીય છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ દાવો કર્યો હતો કે જૂનમાં ભારત સરકારના એજન્ટો અને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે ‘સંભવિત સંબંધ’ છે.

ભારતે મંગળવારે આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” તરીકે ફગાવી દીધા હતા અને કેનેડાના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને આ કેસમાં ભારતીય અધિકારીની હકાલપટ્ટી કરી હતી. ભારતની ટ્રાવેલ એડવાઈઝરી જણાવે છે કે, ‘તાજેતરમાં ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના તે વર્ગોને નિશાન બનાવ્યા છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે. તેથી, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જાેવા મળી છે.

ઉત્તરી અમેરિકાના દેશમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી ગતિવિધિઓને જાેતા છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ જાેવા મળ્યો છે. ભારત માને છે કે ટ્રૂડો સરકાર તેની વાસ્તવિક ચિંતાઓ પર ધ્યાન આપી રહી નથી.
ભારતની ટ્રાવેલ એડવાઈઝરીને કેનેડાની ટ્રાવેલ ઈન્ફોર્મેશન વિરૂદ્ધ જેવા સાથે તેવા પ્રતિક્રિયા રૂપમાં પણ જાેવામાં આવે છે, જે બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે અગાઉ અપડેટ કરવામાં આવી હતી. આમાં પ્રવાસીઓને ભારતમાં ‘આતંકવાદી હુમલાના ખતરા’ના કારણે ‘ઉચ્ચ સ્તરની સાવધાની’ રાખવાની સલાહ આપવામાં આવી હતી. ઓટાવામાં ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ અનુસાર, કેનેડામાં ૨૩૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અને ૭૦૦,૦૦૦ બિન-નિવાસી ભારતીયો છે.

Share.

Leave A Reply

Exit mobile version