Finance Minister Nirmala Sitharaman Budget : કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઘણી યોજનાઓનો ઉલ્લેખ કર્યો, જેમાંથી એક વિશેષ યોજના એનપીએસ વાત્સલ્ય હતી. જો તમે એવા પેરન્ટ્સમાંથી એક છો કે જેઓ કોઈ સ્કીમમાં રોકાણ કરીને તેમના બાળકના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માગે છે અને આ માટે કોઈ ચોક્કસ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે. ટૂંક સમયમાં તમે તમારા નાના બાળકો માટે વિશેષ યોજનાનો લાભ મેળવી શકશો.
NPS વાત્સલ્ય યોજનામાં શું ખાસ છે?
બજેટમાં સગીરો માટે માતા-પિતા દ્વારા યોગદાન માટેની યોજના રજૂ કરવામાં આવશે. આ યોજનાની વિશેષતા એ છે કે જ્યારે સગીર બાળક પુખ્ત બને છે, ત્યારે NPS વાત્સલ્ય યોજનાને એકીકૃત રીતે સામાન્ય NPS ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે.
NPS નું પૂરું નામ નેશન પેન્શન સિસ્ટમ છે. તેને નિવૃત્તિ યોજના પણ કહેવામાં આવે છે. NPS ખાતું નિવૃત્તિ આયોજન હેઠળ ખોલી શકાય છે. નિવૃત્તિ પછી, તમને નિયમિત આવક આપવામાં આવે છે. નેશનલ પેન્શન સ્કીમ (NPS)ને કોન્ટ્રિબ્યુટરી પેન્શન સ્કીમ પણ કહેવામાં આવે છે, જેમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય છે. ખાતાધારકોને રોકાણ પર એકમ રકમ મળે છે. આ સિવાય માસિક પેન્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે.