Nitin Gadkari on Nirmala Sitharaman : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર GST હટાવવાની માંગ કરી છે. ગડકરીએ પત્રમાં માહિતી આપી હતી કે નાગપુર ડિવિઝનલ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયને ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત મુદ્દાઓ પર એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે.
યુનિયને મુખ્યત્વે જીવન અને તબીબી વીમા પ્રિમીયમ પર જીએસટી હટાવવાની માંગ કરી છે. હાલમાં, જીવન વીમા અને તબીબી વીમા પ્રિમીયમ પર 18 ટકા GST લાગુ છે. ગડકરીએ પત્રમાં જણાવ્યું હતું કે જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા સમાન છે.