ઈસરોએ ચંદ્રયાન-૩ના સફળ લોન્ચ બાદ હવે ગગનયાન મિશનની તૈયારી શરુ કરી દીધી છે. આ મિશન માટે ગઈકાલે ઈસરોએ સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ૪૪૦ ન્યૂટન થ્રસ્ટ સાથે પાંચ લિક્વિડ એપોજી મોટર્સ (એલએએમ) અને ૧૦૦ ન્યૂટન થ્રસ્ટ સાથે ૧૬ રિએક્શન કંટ્રોલ સિસ્ટમ (આરસીએસ) થ્રસ્ટર્સનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ સભ્યોની ટીમને ત્રણ દિવસના મિશન માટે ૪૦૦ કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને ત્યારબાદ તેને ભારતીય પ્રાદેશિક જળસીમામાં સુરક્ષિત રીતે પૃથ્વી પર ઉતારવામાં આવશે. આ મિશનમાં ભાગ લેનારા અવકાશયાત્રીઓને ગગનૌટ કહેવામાં આવશે. આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરવાનું કામ ભારતીય વાયુસેનાને આપવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૩ પછી ઈસરોનું ગગનયાન મિશન ઘણી રીતે ભારત માટે ખાસ હશે.

ઈસરોઆ મિશન દ્વારા પૃથ્વીની નીચલા ભ્રમણકક્ષા (લીયો)માં માનવયુક્ત અવકાશયાન મોકલશે. ઈસરોનો ઉદ્દેશ્ય મનુષ્યોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને આમ કરવા માટે સ્વદેશી ક્ષમતા વિકસાવવાનો છે. આ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ઈસરોનો દાવો છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. આમાં એર ડ્રોપ ટેસ્ટ (આઈએડીટી), પેડ એબોર્ટ ટેસ્ટ (પીએટી) અને ટેસ્ટ વ્હીકલ (ટીવી) ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ પરીક્ષણોના પરિણામો જ જણાવશે કે આ મિશન  અવકાશયાત્રીઓને લઈ જવા માટે કેટલું સક્ષમ છે. ગગનયાન મિશન બનાવવામાં ઈસરોએ ડીઆરડીઓઅને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની પણ મદદ લીધી છે. જાે ઈસરોઅવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થાય છે, તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બની જશે.
ગગનયાનને ઈસરોના રોકેટ એલવીએમ-૩થી લોન્ચ કરવામાં આવશે. તેને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે. આ પહેલા ઓક્ટોબર ૨૦૨૨માં એલવીએમ-૩ રોકેટે ૩૬ ઉપગ્રહો સાથે ઉડાન ભરી હતી. ઈસરોદ્વારા બનાવવામાં આવેલ સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચર છે.

આ રોકેટ ત્રણ તબક્કામાં કામ કરે છે. તેના પ્રથમ તબક્કામાં, થ્રસ્ટ માટે બે ઘન ઇંધણ બૂસ્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સિવાય કોર થ્રસ્ટ માટે લિક્વિડ બૂસ્ટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ રોકેટથી ચંદ્રયાન-૩ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. એલવીએમ-૩ રોકેટમાં ફેરફાર કરીને તેને ગગનયાન મિશન માટે માનવરહિત બનાવવામાં આવ્યું છે. એલવીએમ-૩ના ઉપરના ભાગમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જેથી કરીને કોઈપણ કટોકટીની સ્થિતિમાં અવકાશયાત્રીને બચાવી શકાય. ઈસરોએ જણાવ્યું હતું કે, ડી-બૂસ્ટિંગ આવશ્યકતાઓ અને બિન-નોમિનલ મિશન દૃશ્યો દર્શાવવા માટે વધુ ત્રણ ગરમ પરીક્ષણો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. એસએમપીએસને બેંગલુરુ અને વાલિયામાલા, તિરુવનંતપુરમ ખાતે સ્થિત લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે.

ગગનયાન મિશન પર લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ મિશન પર અત્યાર સુધીમાં ૩ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગગનયાન મિશન ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો માનવરહિત હશે. બીજા તબક્કામાં રોબોટને મિશન પર મોકલવામાં આવશે. પરિણામો અને સુરક્ષાના પાસાઓ પર ધ્યાને રાખીને જાે બધું બરાબર રહેશે તો ત્રીજા તબક્કામાં ત્રણ અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે.

Share.

Leave A Reply

Exit mobile version