Sudha Murthy: સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરી છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન અનુપમ અને પ્રેરણાદાયી રહ્યું છે.